રાજકોટ
News of Tuesday, 4th January 2022

જિલ્લા પંચાયતમાં પ્રવેશ માટે રસી જરૂરીઃ બાકી હોય એના માટે દ્વારે જ વ્યવસ્થા

રાજકોટઃ રાજ્ય સરકારના પરિપત્ર મુજબ જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રવેશ માટે રસીકરણના બે ડોઝનું પ્રમાણપત્ર ફરજીયાત બનાવાયુ છે. જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પંચાયતના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ આરોગ્ય શાખા દ્વારા તપાસ અને રસીકરણની વ્યવસ્થા ગોઠવાયેલ છે. રસીનો એક કે બે ડોઝ લેવાનોે બાકી હોય તેને સ્થળ પર જ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રસી ન મૂકાવી હોય તેવા કર્મચારીઓ, ચૂંટાયેલા સભ્યો, મુલાકાતીઓ વગેરે માટે કચેરીમાં પ્રવેશબંધી છે. આજે રસીકરણ પ્રસંગે આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી ઉપસ્થિત હતા.

(3:27 pm IST)