News of Saturday, 4th February 2023
કલાઉડ ઓફ પોએટ્રી- રાજકોટ દ્વારા અને ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના સહયોગથી
‘શબ્દ ઉઘડે સર્જક દ્વારે': આજે સાંજે કાર્યક્રમ
કવિઓ હરીશ મીનાશ્રુ, સ્નેહી પરમાર, સંવાદ- સંચાલન કવિ સંજુ વાળા
રાજકોટઃ કલાઉડ ઓફ પોએટ્રી- રાજકોટ દ્વારા અને શ્રી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના સહયોગથી આજે તા.૪ના શનિવારે સાંજે ‘શબ્દ ઉઘડે સર્જક દ્વારે' શિષક હેઠળ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
યાજ્ઞિક રોડ ઉપર આવેલ શ્રી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ ખાતે આજે સાંજે ૫:૩૦ વાગ્યાથી આયોજીત કાર્યક્રમમાં કવિશ્રી હરીશ મીનાશ્રુ, કવિશ્રી સ્નેહી પરમાર અને સંવાદ- સંચાલન કવિશ્રી સંજુ વાળા કરશે.
કાર્યક્રમ નિઃશુલ્ક હોય પ્રિન્સીપાલ ડો.એ.એસ. રાઠોડ, જયુ જેઠવા મો.૯૯૯૮૪ ૬૨૫૮૨, મહર્ષિ પંડયા મો.૯૯૭૮૫ ૬૪૧૨૯, મુદ્રા ઠાકર અને રીત જેઠવા દ્વારા નિમંત્રણ અપાયું છે. આ અંગે વધુ માહિતી માટે મો.૮૧૨૮૧ ૬૨૫૮૨ ઉપર સંપર્ક કરી શકાય છે.
(12:08 pm IST)