રાજકોટ
News of Tuesday, 4th May 2021

નાગદાનભાઇ ચાવડાએ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર વેકિસન લીધી

ખીરસરા : વેકિસનએ કોરોના સામે લડવાનો રામબાણ ઈલાજ છે ૧૮થી ૪૪ વર્ષ તેમજ ૪૫થી ઉપરની ઉંમરના લોકો માટે વેકિસન એ એક સંજીવની છે તો વધુને વધુ યુવાનો વેકિસન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવે અને તેના વારાનો મેસેજ આવે એટલે યુવાનો વેકિસનેસન સ્થળ ઉપર જઇને વેકિસન લે અને ૪૫ થી ઉપરના તમામ લોકો વધુને વધુ વેકિસન લે તેવું ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર વેકિસન લેતા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા એ લોકોને સંદેશ આપેલ આ સમયે રાજકોટ જિલ્લા ભાજપ ના યુવા અગ્રણી જય સાગઠીયા તેમજ ડો પ્રકાશ વિરડા ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ : ભીખુપરી ગોસાઇ -ખીરસરા)

(12:01 pm IST)