રાજકોટ
News of Monday, 4th July 2022

વોઇસ ઓફ ઇન્ડિયાની બાળકલાકારથી લઇનેબોલિવૂડની પ્લેબેક સિંગર અન્વેષા દત્તા ગુપ્તા રાજકોટમાં

તુમ મુજે યુ ભુલા ના પાઓગે...

આ યુવા ગાયક કલાકારે બોલીવૂડની અનેક સુપરહીટ ફિલ્‍મોમાં પોતાના અવાજનો જાદુ પાથર્યો છે : રિયાલીટી શોથી પ્‍લેબેક સિંગર સુધીની રોમાંચક સફર

રાજકોટ : અન્‍વેષા આજે ખ્‍યાતનામ બોલિવૂડ સિંગર છે.  રોહિત શેટ્ટીની ગોલમાલ થી લઇને પ્રેમ રતન ધન પાયો , રિવોલ્‍વર રાની, રાંઝણા વગેરે જેવી કેટલીયે બોલિવૂડ ફિલ્‍મોમાં પોતાના સ્‍વીટ અવાજ વડે લોકોના પગ થીરકાવનાર અને મન -તન ડોલાવનાર અન્‍વેષા આવી રહી છે રાજકોટમાં! ચીલાચાલુ નાટકો ને દ્વિઅર્થી સંવાદો, ઘરેડમાં બેસી ગયેલા ગાયકો અને સમાજને કઈ જ આપી ન શકતા અર્થવિહીન કાર્યક્રમો હવે રાજકોટ માં આવતા વિચારે છે કે રાજકોટના સુજ્ઞ પ્રેક્ષકો આવી વસ્‍તુ પચાવી શકશે કે નહિ ? રાજકોટ સસ્‍તા મનોરંજન થી ઉપર ઉઠી અર્થસભર કલા તરફ વળી રહ્યું છે ત્‍યારે સદાકાળ જેમનો અવાજ સમગ્ર બ્રહ્માંડમાં ગુંજતો રહેશે તેવા શ્રી લતા દીદી એટલે કે લતા મંગેશકર ને સ્‍વરાંજલિ આપવા આવી રહ્યા છે અન્‍વેષા દત્તા તા. ૧૭ જુલાઈ, રાત્રે ૮ વાગ્‍યે, હેમુ ગઢવી હોલમાં.

અન્‍વેષાને સાંભળવી એ એક લ્‍હાવો છે. સ્‍ટાર પ્‍લસના રિયાલિટી શોમાં બાળ કલાકાર તરીકે ભાગ લઇ, અન્‍વેષાએ ફિનાલેમાં સહુના દિલ જીતી લેતા ગીતો ગાયા. ખુદ મેગા સ્‍ટાર અમિતાભ બચ્‍ચન આ ફિનાલે માણવા  ઉપસ્‍થિત રહેલા. અન્‍વેષા ના ગીતો એ ચિક્કાર મેદની  ને એક સુર માં ડોલાવી. અને ત્‍યાર થી શરૂ થઇ તેમની સુરમયી સફર. રિયાલિટી શૉથી લઇને બોલિવૂડ પ્‍લેબેક સિંગર સુધીની અન્‍વેષાની સફર અત્‍યંત દિલચસ્‍પ રહી જેના વિષે આવનારા દિવસોમાં વાતો કરીશું.

લતા મંગેશકરને આપણે દર એક શ્વાસે જીવ્‍યા છીએ , તેમનો અવાજ દેહ આપણી અસ્‍કયામત છે , એવું અભિવ્‍યક્‍તિનું માધ્‍યમ જેને આપણે હંમેશા ચાહ્યું છે કારણકે હંમેશા તેની સાથે આપણે રીલેટ કરી શકીએ છીએ. આવા શ્રી લતા દીદીને સ્‍વરાંજલિ આપવીએ એક સૌભાગ્‍યશાળી પળ ગણાય અને એ પળોને જીવવા અને તેઓના ગીતો ને જીવંત કરવા આવી રહી છે અન્‍વેષા દત્તગુપ્તા, રાજકોટમાં તા. ૧૭ જુલાઈ, રવિવાર , રાત્રે ૮ કલાકે - હેમુ ગઢવી હોલ , ખાતે.

  ‘ઓલ ઇન્‍ડિયા ઇવેન્‍ટ-ઓલ બોલિવૂડ સ્‍ટાર્સ' આયોજિત આ મ્‍યુઝિકલ કાર્યક્રમ સ્‍વર સામ્રાજ્ઞી, ભારતરત્‍ન શ્રી લતા મંગેશકર ને શ્રદ્ધા સુમન અર્પવા માટે છે . કાર્યક્રમ નું નામ પણ એવું છે કે આપણે ભૂલી ના શકાય ‘તુમ મુજે યું ભૂલ ના પાઓગે....' કાર્યક્રમની વધુ વિગતો માટે આપ મો.   ૯૮૯૨૬૨૫૭૬૮ પર સંપર્ક કરી શકાય છે.

આ કાર્યક્રમ ને આકાર આપવા માં  સહયોગ સાંપડ્‍યો છે . કાર્યક્રમ ને ભરપૂર માણવા વહેલી ટિકિટ બુક કરાવી લેવાની સલાહ છે નહિ તો મનગમતી સીટ નહિ મળે. તો મળીયે છીએ રાજકોટ ‘તુમ મુજે યુ ભૂલ ના પાઓંગે'માં  કાર્યક્રમમાં સહયોગી થવા માટે આપ -   ૯૮૯૨૬૨૫૭૬૮  નંબર પર સંપર્ક કરી શકાય છે. (૩૭.૧૭)

ટિકિટ મેળવવા

 સંપર્ક કરો

મો.  ૯૮૯૨૬૨૫૭૬૮

(11:47 am IST)