રાજકોટ
News of Monday, 4th July 2022

કુંભારવાડાની દીવાલ કયારે રીપેર થશે?

કુંભારવાડા શેરી નં. ૧૪, પોલીસ લાઇનની દિવાલ પવન અને વરસાદને કારણે તુટી પડી છે. પરંતુ હજુ સુધી સમારકામ કે કાટમાળ હટાવવાનું કામ હાથ ધરાયુ નથી. જયારે આ દિવાલ જર્જરીત હાલતમાં હતી ત્યારે પણ મહાનગરપાલીકાના તંત્રવાહકોને રજુઆતો કરવામાં આવી હતી. છતા ધ્યાન ન દેવાયુ. અંતે દિવાલ તુટી પડી. હવે તુટી પડેલ દિવાલનો કાટમાળ ઉપાડવા કે નવી બનાવવામાં પણ કોની રાહ જોવાઇ રહી છે? તેવા સવાલો આ વિસ્તારના જાગૃત નાગરિક તથા જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ એમ. એ. પંજા (મો.૮૪૦૧૯ ૩૦૫૧૪) એ ઉઠાવ્યા છે.

(4:39 pm IST)