રૈયાધારના ૩૦૦ થી વધુ લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો
રાજકોટ : આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન ચલાવાઇ રહ્યુ છે. જે અંતર્ગત વોર્ડ નં. ૧ ના રૈયાધાર વિસ્તારમાં શહેર યુવા મંત્રી તોફીકભાઇ ખોખુના પ્રયાસોથી જનસંવેદના યાત્રા અને સદસ્યતા અભિયાન અર્થે મીટીંગ યોજવામાં આવતા આ વિસ્તારના ૩૦૦ થી વધુ ભાઇ બહેનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પક્ષના શહેર અધ્યક્ષ શિવલાલ પટેલ, સંગઠન મંત્રી રાહુલભાઇ ભુવા, શહેર ઉપપ્રમુખ દિનેશભાઇ જોષી, વેસ્ટઝોન પ્રભારી વિપુલભાઇ તેરૈયા, રાકેશભાઇ સોરઠીયા, યુવા પ્રમુખ રવિભાઇ માણેક અને તેમની ટીમ સહીત ડોકટર સેલના પ્રમુખ શ્રી ઝાલા, શહેર શિક્ષણ સેલના પ્રમુખ દિગ્વીજયસિંહ વાઘેલા, વોર્ડ નં. ૧ ના પ્રમુખ સહદેવસિંહ સરવૈયા અને તેમની ટીમ સહીત મહીલા પ્રમુખ રાજલબેન ગઢવી, મહીલા ઉપપ્રમુખ હંસાબેન ઘમ્મર, ખેરૂનબેન ભુવડ, મહીલા સંગઠન મહામંત્રી તનુજાબેન દોશી, મહીલા મહામંત્રી હર્ષાબેન શેઠ, શ્રધ્ધાબેન પુજારા, પ્રભાબેન પાનખાણીયા, આતરીયબેન સીંગલીયા, સોનલબેન દવે સહીતનાની ઉપસ્થિતીમાં નવા જોડાયેલ ભાઇ બહેનોને ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા. તેમ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલની યાદીમાં જણાવાયુ છે.