રાજકોટ
News of Friday, 4th September 2020

પુનિતનગરમાં વરસાદમાં છાપરૂ પડતાં ઘવાયેલા દિવ્યાંગ તરૂણ ગોવિંદનું મોત

રાજકોટ તા. ૪: ગોંડલ રોડ પુનિતનગર પાણીના ટાંકા પાસે દસેક દિવસ પહેલા ભારે વરસાદ વરસતાં તેના કારણે છાપરૂ તૂટી પડતાં અંદર સુતેલો ૧૫ વર્ષનો જન્મથી જ દિવ્યાંગ અને મુક એવો ગોવિંદ ભટુભાઇ વાઘેલા બહાર ન નીકળી શકતાં ઇજા થઇ હતી. ત્યારથી બિમાર હોઇ ગઇકાલે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું મોત નિપજ્યું હતું.

જે તે વખતે વરસાદમાં છાપરૂ પડતાં તેની માતાએ તેને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે નીકળી ન શકતાં થોડી ઇજા થઇ હતી. તે જન્મથી જ દિવ્યાંગ હતો અને બિમાર હતો. તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ ટી.આર. બુહા અને રિતેશભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:40 am IST)