રાજકોટ
News of Tuesday, 4th October 2022

ચોટીલા દર્શને જવા મામલે પતિ સાથે ચડભડ થતાં કમાબેન ડામોરનો ઝેરી દવા પી આપઘાત

પડધરીના ખંભાળા ગામનો બનાવઃ મુળ દાહોદની મહિલાએ રાજકોટ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૪: પડધરીના ખંભાળા ગામે રહેતી મુળ દાહોદની કમાબેન મુકેશ ડામોર (ઉ.૨૫)એ ગઇકાલે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું.  કમાબેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ-પત્‍નિ ખંભાળા પરષોત્તમભાઇ દેવજીભાઇ ભોજાણીની વાડીએ દોઢેક વર્ષથી રહી મજૂરી કરતાં હતાં. કમાબેનને નવરાત્રી નિમીતે ચોટીલા દર્શન કરવા જવું હતું. પણ પતિએ હાલમાં વાડીમાં કામ હોઇ બે ત્રણ દિવસ પછી જઇશું તેમ કહેતાં તેણીએ પોતે એકલી જઇ આવશે તેમ જણાવતાંચડભડ થયા બાદ માઠુ લાગતાં આ પગલુ ભર્યુ હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.

(12:02 pm IST)