પૂ.શ્રી ઇન્દુબાઇ મહાસતીજીની ૯૦મી જન્મજયંતિનું ભવ્ય આયોજન
સૌરાષ્ટ્રના સિંહણ તીર્ર્થસ્વરૂપા વચનસિધ્ધિકા
રાજકોટ,તા. ૪ : ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ.પૂ.શ્રી ઇન્દુબાઇ મહાસતીજીની તા. ૯ રવિવારના રોજ ૯૦મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે નાલંદા સંઘ તથા તેમના ગુરૂણી ભકતો થનગની રહ્યા છે.
આ દિવસે સાધર્મિક સેવા પર્વ-દાન-શિયળ-જપ-ભાવ સહિત ઉજવાશે મહાન વિભૂતિ એવા પૂ.ઇન્દુબાઇ મહાસતીજી જેના પરમ ઉપરકારમાંથી યત્કિંચત ઋણમુકત થવાનો સુઅવસર ધર્મપ્રેમીઓ તથા શ્રી સંઘને પ્રાપ્ત થયો છે. પૂ.મહાસતીજીના નામ અને સ્મરણ માત્રથી અનેક કષ્ટોભર્યા કામ પાર પડે છે.આ પ્રસંગે તા. ૯ શરદપૂનમના રવિવારે રાત્રે ૮ કલાકે દિવ્યજાપ જન્મજયંતિ પ્રસંગે સવારે ૬:૩૦થી માનવસેવા-જીવદયા-અનુકંપાદાન-ધાર્મિકકાર્યો રહેશે વિશેષ રાત્રે ૮:૩૦ કલાકે આ પ્રસંગે દાતાઓ-આગેવાનો-શ્રેષ્ઠીઓ-સંઘપતિઓ-મહિલા મંડળે સેવા મંડળો ખાસ હાજરી આપશે. તમામ ભકતો હાજર રહી જાપ કરી ભાવવંદના કરશે.