શહેર ભાજપ દ્વારા મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલી
રાજકોટ : તા. ર જી ઓકટોબરના રોજ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની તા.૨ ઓકટોબરના જન્મ જયંતી અંતર્ગત શહેરના જયુબેલી બાગ ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને રાજકોટ શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજયના મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, મેયર ડો.પ્રદિપ ડવ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહીતના ઉપસ્થિત રહયા હતા.આ તકે ઉપસ્થિત શાળાના બાળકોએ મહાત્મા ગાંધીજીની વેશભુષામાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું.આ કાર્યક્રમમાં શહેર ભાજપના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનિલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ જહેમત ઉઠાવી હતી.