વાલ્મિકીનગરમાં પગના દુઃખાવાથી કંટાળી જઇ ગોૈતમભાઇ વાઘેલાએ આપઘાત કર્યો
૫૪ વર્ષના પ્રોૈઢે ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં શોક
રાજકોટ તા. ૪: જામનગર રોડ શેઠનગર પાછળ વાલ્મિકીનગરમાં રહેતાં ગોૈતમભાઇ ભાવજીભાઇ વાઘેલા (ઉ.વ.૫૪)એ પંખાના હુકમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
ગોૈતમભાઇએ રાતે અગિયારેક વાગ્યે એક પુત્રને પોતાને વિમલ ખાવી છે, લઇ આવ તેમ કહેતાં પુત્રએ અત્યારે દૂકાન બંધ હોઇ તેમ કહ્યું હતું અને તે ઘરમાં જતો રહ્યો હતો. એ પછી બીજો પુત્ર પાણી પીવા ગયો ત્યાં ગોૈતભાઇ રૂમમાં જઇ દરવાજો બંધ કરી લટકી ગયા હતાં. દરવાજો તોડી તેમને બેભાન હાલતમાં નીચે ઉતારી ક્રાઇસ્ટ હોસ્પિટલે અને ત્યાંથી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડકોન્સ. સંજયભાઇ દાફડા અને પ્રદિપભાઇ કોટડે જરૂરી કાર્યવાહી કરી હતી. પગના દુઃખાવાથી કંટાળી જઇ આ પગલુ ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.