રાજકોટ
News of Tuesday, 4th May 2021

લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા કોરોનાના દર્દીઓ માટે ટીફીન સેવા

સ્વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્ટ તથા લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ રાજકોટ શાખા દ્વારા કોરોનાના દર્દીઓ તેમજ ે કોરોન્ટાઇન થયેલાઓને  નિઃશુલ્ક ટીફીન સેવા શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં દરરોજ ૧૫૦ થી વધુ પરિવારોને ભોજન પહોંચતુ કરવામાં આવે છે. ઉપરાંત સુરત, બગસરા, ગોધરા, વડોદરામાં ઓકસીજન સીલીન્ડર વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા. રાજકોટમાં ચાલી રહેલ ટીફીન સેવાના યજ્ઞમાં યુવક મંડળના પ્રમુખ વિશાલ પટેલ, પૂર્વેશ ટીંબડીયા, યોગેશ ઢાંકેચા, અંકુર ડાભી, જીતેન જડીયા, મેહુલ ફીચડીયા, ચિરાગ કાચા, ખોડીદાસભાઇ પાનસુરીયા, જીતુભાઇ વેકરીયા, મેહુલ જાવિયા, નિકુંજ ટોપિયા, રાહુલ લીંબાણી, લખનભાઇ કાનાબાર, ઘનશ્યામ પાનસુરીયા, વિમલભાઇ પાદરીયા, ભાવેશ કાચા, ભરત નકુમ, રાજુભાઇ કુણપરા, કિશન રામાણી, ભરત સોલંકી, બાલકૃષ્ણ ડાભી સહીતના સેવા આપી રહ્યા છે.

(3:32 pm IST)