News of Tuesday, 5th July 2022
દાઉદી વ્હોરા સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત
રાજકોટઃ સંતશ્રી વેલનાથ દાદાની જન્મ જયંતિ પ્રસંગે નીકળેલી શોભાયાત્રાનું દાઉદી વ્હોરા સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે આગેવાનો પ્રમુખ દેવભાઇ, વીરજીભાઇ સનુરા, દેવજીભાઇનું પુષ્પગુચ્છથી સન્માન કરેલ. આ પ્રસંગે દાઉદી વ્હોરા સમાજના શેખ યુસુફઅલીભાઇ જોહરકાર્ડસવાળા, શેખ યાહયાભાઇ ગાંધી, શાકીરભાઇ કાચવાલા, અજીજભાઇ ભારમલ, જોહરભાઇ કપાસી, જાબીરભાઇ લોટીયા, અલીઅસગર દાઉદી ઉપસ્થિત રહ્યા હતાં.
(4:18 pm IST)