શિક્ષક દિવસ નિમિતે
સાંજે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઓશો સન્યાસી- પ્રેમી શિક્ષકોનું બહુમાન- સત્કાર સમારોહ
'જીવંત શિક્ષકોની ખોજ' ઓશોનું પુસ્તક ભેટ અપાશેઃ સરકારી ગાઈડ લાઈન પ્રમાણે કાર્યક્રમ
રાજકોટઃ ઓશોનું સૂત્ર ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગોત્રાને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, ભજન- કિર્તન, ગીત, સંગીત, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૫ વર્ષોથી ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એકમાત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર અવાર - નવાર ઉજવવામાં આવે છે.
આજે તા.૫ને શનિવારના રોજ શિક્ષક દિવસ નિમિતે હર સાલની માફક સાંજે ૬:૪૫ થી ૭:૪૫ દરમ્યાન ઓશો સન્યાસી તથા પ્રેમી શિક્ષકોનું ઓશોનું પુસ્તક જીવંત શિક્ષકોની ખોજ ભેટ આપી સન્માન કરવામાં આવશે. બાદમાં સંધ્યા સત્સંગ ધ્યાન તથા શિક્ષા મે ક્રાંતીનું ઓશોનું ઓડીયો પ્રવચન સંભળાવવામાં આવશે. સરકારી ગાઈ.ડ લાઈન પ્રમાણે કાર્યક્રમ રાખેલ છે.
સ્થળઃ- ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રિજ પાસે, ૪ વૈદવાડી, ડી- માર્ટની પાછળની શેરી રાજકોટ
વિશેષ માહિતી- સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦