રૈયાધારનો ધર્મેશ રૂડકીયા ઓફીસે જવાનું કહીને ઘરેથી નિકળ્યા બાદ ગુમ
રાજકોટ, તા., પઃ શહેરના રૈયાધારમાં રહેતો પ્રજાપતી યુવાન ઓફીસે જવાનું કહીને ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા એ ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.
મળતી વિગત મુજબ રૈયાધાર સોપાન હીલ એન-૧૦રમાં રહેતા ચાર્ટડ એકાઉન્ટન્ટ ધર્મેશ રમેશભાઇ રૂડકીયા (ઉ.વ.ર૮) ગઇકાલે પોતાનું એકટીવા લઇને ઓફીસે જવાનું કહી ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેની પત્ની તથા પરીવારજનોએ તેની શોધખોળ આદરી હતી. તપાસ દરમ્યાન ધર્મેશનું એકટીવા કેશરી હિંદ પુલ પાસે રવી સાગર પાન નામની દુકાન પાસેથી મળી આવ્યું હતું. બાદ તેની પત્ની કાજલ રૂડકીયાએ એ ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ગુમની નોંધ કરી એએસઆઇ ભરતસિંહએ તપાસ હાથ ધરી હતી. ધર્મેશ પ્રાઇવેટ નોકરી કરે છે તેણે આછા ગુલાબી કલરનું ટીશર્ટ તથા ઓફવાઇટ કલરનું પેન્ટ પહેરેલ છે. તેના ડાબા હાથની કોણીથી ઉપર ટેટુ ત્રોફાવેલ છે. એનર્જી લખેલ છે. જો કોઇને આ યુવાન જોવા મળે તો એ ડીવીઝન પોલીસ સ્ટેશન ફોન નં. ૦૨૮૧-રરર૬૬પ૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.