રાજકોટના ઘંટેશ્વર ૨૫ વારીયામાં યુવાનની મિત્રના હાથે માથામાં બોથડ પદાર્થ ફટકારી હત્યા: આરોપીને ગાંધીગ્રામ પોલીસે ગણતરીના સમયમાં ઝડપી લીધો
રાજકોટ: શહેરમાં હત્યાની વધુ એક ઘટના બની છે. જામનગર રોડ પર ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતા સોહિલ ઉર્ફે રાજા રઝાકભાઈ ડોસાણી નામના આશરે પચ્ચીસ વર્ષના યુવાનને માથામાં બોથડ પદાર્થ ફટકારી હત્યા કરવામાં આવતા પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. ગાંધીગ્રામ પોલીસને જાણ થતાં પીઆઇ એસ.એસ. રાણે, પીએસઆઈ જે.જી.રાણા, ખોડુભા જાડેજા, શબ્બીરભાઈ મલેક, ગોપાલભાઈ બોરીયા, ગોપાલભાઈ પાટીલ, ભરતભાઇ, પ્રદીપભાઈ, મહેશભાઈ કછોટ, મોંટુભાઈ
અને ડી.સ્ટાફ ટીમે તત્કાળ કાર્યવાહી કરી હત્યાના આરોપીને પકડી લીધો છે.
પોલીસે આરોપી પ્રકાશ ઉર્ફે બકુલ નથુભાઈ સોલંકીને સકંજામાં લીધો છે. મૃતક અને આરોપી એક જ લત્તામાં રહે છે. તેમજ બંને મિત્રો છે. આરોપીની પત્નીનો મૃતકે હાથ પકડી લીધા જેવી વાતે બોલાચાલી મારામારી થયા બાદ આરોપી પ્રકાશ ઉર્ફ બકુલે બોથડ પદાર્થ ફટકારી દેતાં સોહિલ ઉર્ફ રાજાનું ઢીમ ઢળી ગયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.