રાજકોટ
News of Thursday, 6th May 2021

જિલ્લા ભાજપની રજુઆતથી પ એમ્બ્યુલન્સ ફાળવાઇ

રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા તથા મહામંત્રીઓ નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલાએ ગ્રામ્ય પ્રજાજનોને કોરોના મહામારીની ઇમરજન્સી પરિસ્થિતિમાં શીફટીંગ માટે અગવડ પડતી હોય એમ્બ્યુલન્સ ફાળવવા સરકારમાં રજુઆતો કરેલ. જે સફળ રહેતા રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાના ઘેલા સોમનાથ ખાતે, કોટડાસાંગાણી ખાતે, ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ખાતે, ગોંડલ તાલુકાના કોલીથડ ખાતે, ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે એમ પ એમ્બ્યુલન્સ (૧૦૮) ફાળવવામાં આવતા લોકોમાં રાહત પ્રસરી છે.

(3:59 pm IST)