ગાંધીગ્રામ પરમેશ્વરમાં આર્થિક ભીંસને લીધે અતુલ લુણીયાતરે એસિડ પી લીધું
રાજકોટ તા. ૬: ગાંધીગ્રામ નાણાવટી ચોક પરમેશ્વર ૨૫ વારીયામાં રહેતાં અતુલ ભૂપતભાઇ લુણીયાતર (ભીલ) (ઉ.વ.૩૫) નામના યુવાને એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના હેડકોન્સ. વાલજીભાઇ નિનામાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. અતુલ કલરકામની મજૂરી કરે છે. તેને સંતાનમાં બે પુત્ર છે. કેટલાક સમયથી કામધંધામાં મંદી આવી ગઇ આર્થિક ભીંસને લીધે ટેન્શન ઉભુ થયું હોઇ કંટાળીને તેણે આ પગલુ ભર્યાનું તેના સ્વજને કહ્યું હતું.
ગાંધીગ્રામમાં તેજસ નકુમે ફિનાઇલ ગટગટાવી લીધું
અન્ય બનાવમાં ગાંધીગ્રામ-૧૧માં રહેતાં રિક્ષાચાલક અને કેટરીંગનું પણ કામ કરતાં તેજસ કાંતિભાઇ નકુમ (દરજી) (ઉ.વ.૪૦) નામના યુવાને ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી. તેજસએ ટેન્શનને લીધે પગલુ ભર્યાનુ઼ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
નવાગામ શકિત સોસાયટીમાં વિજયએ ફિનાઇલ પીધું
નવાગામ શકિત સોસાયટી ૫૬ વારીયામાં રહેતાં વિજય રાયધનભાઇ રાઠોડ (ઉ.૨૯)એ ફિનાઇલ પી લેતાં કુવાડાવ પોલીસને જાણ કરાઇ હતી.
શિવાજીનગરમાં ઉષાએ ઝેર પીધું
ચુનારાવાડ પાસે શિવાજીનગરમાં રહેતાિ ઉષા દલસુખભાઇ સલાટ (ઉ.૪૦) પથરીના દુઃખાવાથી કંટાળી ઝેર પી જતાં સિવિલમાં દાખલ કરવામાં આવતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી.
લોઠડામાં સોનીદેવીને પતિ નરેન્દ્રએ માર માર્યો
રાજકોટના લોઠડા ગામે મધુવન હોટેલ પાસે રહેતી સોનીદેવી નરેન્દ્રસિંગ (ઉ.૩૦)ને પતિએ સાંજે ઝઘડો કરી લાકડી ઢીકાપાટુ મારતાં રાજકોટ સિવિલમાં દાખલ થતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.