News of Saturday, 6th August 2022
નાગપુર ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા શાલીમાર - પોરબંદર શાલીમારની ૪ ટ્રેનો રદ્દ
રાજકોટ, તા. ૬ : દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે માં સ્થિત નાગપુર ડિવિઝનના કન્હાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૪ ટ્રેનો રદ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ
રદ કરાયેલી ટ્રેનો
- ટ્રેન નંબર ૨૨૯૦૫ ઓખા-શાલીમાર એક્સપ્રેસ ૦૭.૦૮.૨૦૨૨ ના રોજ રદ.
- ટ્રેન નંબર ૨૨૯૦૬ શાલીમાર-ઓખા એક્સપ્રેસ ૦૯.૦૮.૨૦૨૨ ના રોજ રદ.
- ટ્રેન નંબર ૧૨૯૦૫ પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ ૧૦.૦૮.૨૦૨૨ અને ૧૧.૦૮.૨૦૨૨ ના રોજ રદ.
- ટ્રેન નંબર ૧૨૯૦૬ શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ ૧૨.૦૮.૨૦૨૨ અને ૧૩.૦૮.૨૦૨૨ ના રોજ રદ.
(1:50 pm IST)