News of Tuesday, 6th December 2022
ફૂડ શાખા પાનની દુકાનો-જનરલ સ્ટોરમાં ત્રાટકશે
રાજકોટ : મનપાની ફુડ શાખા દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ખાદ્યપદાર્થો દ્વારા ચેડા ન થાય તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સતત ચેકીંગ અને નમુના લેવાની કામગીરી હાથ ધરાઇ રહી છે. આજે પણ મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં તપાસ કારઇ હતી. હવેના દિવસોમાં શહેરની ૧ હજારથી વધુ પાનની દુકાનો તથા જનરલ સ્ટોરમાં ચેકીંગ કરવામાં આવશે. જે દુકાનધારક પાસે લાયસન્સ ન હોય તેમને લાયસન્સ લેવા નોટીસ ફટકારવાની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે.
(3:33 pm IST)