રાજકોટના યુવાનને બચાવી પરિવાર સાથે મિલન કરાવતી જુનાગઢ ભવનાથ પોલીસ
જૂનાગઢ,તા.૬: રાજકોટના રહીશ નેહલભાઇ થોભણભાઇ ટીલાળા પટેલ ઉંમર વર્ષ ૩૪ વાળા ઘરેથી આત્મહત્યા કરવા જાઉં છું તેવું જણાવી નીકળી ગયેલ હતા આથી તેમના સગા વ્હાલાઓએ રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હતી અને આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસઅને જુનાગઢ પોલીસને જાણ કરેલ આથી જુનાગઢ નેત્રમ શાખાના પીએસઆઇ પ્રતીકમશરૂએ જુનાગઢના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાડવામાં આવેલ સીસીટીવીથી તપાસ કરતા નેહલભાઇ ભવનાથી વિસ્તારમાં આંટા ફેરા કરતા હોય આથી તુરંત જ ભવનાથ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ મહીપતસિંહ ચુડાસમાને જાણ કરતા તેઓએ જુદીજુદી ટીમો બનાવી તપાસ શરૂ કરેલ અને નેહલભાઇ દામોદરકુંડ પાસે ગુમશુમ બેઠેલ હોય આથી તેઓને આશ્વાસન આપી પોલીસ સ્ટેશન ખાતે લાવી તેમની હકીકત જાણી જિંદગી અમૂલ્ય છે પાછળ ફેમિલીનો પણ વિચાર કરવો જોઇએ તેમ સમજાવતા નેહલભાઇએ પણ મારાથી ભૂલ થઇ ગઇ હવે હું કોઇ અઘટિત પગલું નહીભરૂં તેમ જણાવેલ આથી નેહલભાઇને તેમના ફેમિલી મેમ્બરોને બોલાવી નેહલભાઇને સોંપી આપેલ છે. તેમનો પરિવાર પણ ખૂબ જ રાજી થઇ અને જુનાગઢ પોલીસનો આભાર માનેલ છે. પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાર્થક થયેલ છે.