કોઠારીયા રોડ પર બ્રહ્માપાલને ત્રણ શખ્સોએ છરી ઝીંકી
રામકબીર, સુરેશ અને નરેન્દ્ર સામે ફરીયાદ
રાજકોટ, તા. પ : કોઠારીયા રોડ કેદારનાથ સોસાયટીના ગેઇટ પાસે પરપ્રાંતીય યુવાન પર ત્રણ શખ્સોએ પરપ્રાંતીય છરી વડે હુમલો કરતા તેને સારવાર માટે ખસેડાયો છે.
મળતી વિગત મુજબ સહકાર મેઇન રોડ પર ધનશ્યામનગરમાં રહેતો બ્રહ્મા બાલુરામ પાલ સવારે કોઠારીયા રોડ કેદારનાથના ગેઇટ પાસે હતો ત્યારે રામકબીર, સુરેશ અને નરેન્દ્રએ આવી ઝઘડો કરી છરી વડે હુમલો કરતા યુવાનને મોઢાના ભાગે ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે ભકિતનગર પોલીસે તપાસ આદરી છે.
ત્યારે બીજા બનાવમાં સ્વામીનારાયણ નગર-રમાં રહેતા પ્રશાંતભાઇ ભરતભાઇ સુથાર (ઉ.વ.૩૧) સવારે ઘરે તા ત્યારે રવી ભરતભાઇ સુથારે ઝઘડો કરી હાથની આંગળીમાં બટુક ભરી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે પોલીસ તપાસ હાથ ધરી છે.