ગુરૂપૂર્ણિમા નિમિતે રવિવારે અમદાવાદમાં કોળી સમાજનો જીવનસાથી પસંદગી મેળો
૫૫૦ યુવકો અને ૬૫૦ યુવતિઓ ભાગ લેશેઃ વૃક્ષારોપણનો સંકલ્પ લેવાશે
રાજકોટઃ ગુરૂપૂર્ણિમા નિમિતે સમગ્ર ગુજરાત રાજયભરમાં રહેતા ચુંવાળીયા, તળપદા, ઘેડીયા, દિવેચા સમસ્ત કોળી સમાજના ઉચ્ચ અભ્યાસ કરતા એજયુકેશન ફેમીલીના યુવક- યુવતીઓ માટે કોળી શકિત યુવક મંડળ તથા સમસ્ત તળપદા કોળી પટેલ સેવા સમાજવાડીના સંયુકત ઉપક્રમે અમદાવાદ ખાતે જીવનસાથી પસંદગી મેળાનું તા.૧૦ રવિવારે સવારે ૯ થી ૧ સુધી તળપદા કોળી પટેલ સમાજવાડીની વાડી, મમતાનગર, વિરાટનગર ચાર રસ્તા પાસે, બાપુનગર, અમદાવાદ મુકામે યોજાશે.
આ કાર્યક્રમમાં જોડાવવા માટે વેકસીન લીધેલ હશે તેમને પ્રવેશ આપવામાં આવશે. ફકત યુવતિઓ માટે અભ્યાસ ધોરણ ધ્યાનમાં લેવામાં આવશે નહિ. આ પ્રસંગે અષાઢી બીજથી ગુરૂપૂર્ણિમા સુધી દરવર્ષે વૃક્ષારોપણનું આયોજન થાય તેવો સંકલ્પ લેવામાં આવશે. આ કાર્યક્રમ પહેલા સવારે સંતશ્રી વેલનાથબાપુની પ્રતિમાને પૂજા- અર્ચના કરીને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
આયોજનને સફળ બનાવવા માટે કોળી શકિત યુવક મંડળના પ્રમુખ રમેશભાઈ ગોહિલ, કનુભાઈ સોલંકી, બેચરભાઈ મેર, બટુકભાઈ મેર, યોગેશભાઈ સોલંકી, ગીરીશભાઈ મેર, નવલભાઈ મિઠાપરા, મિતેશભાઈ ડાભી, હર્ષદભાઈ મેર, શામજીભાઈ માલકિયા, કલ્પનાબેન સોલંકી, રમેશભાઈ ભરડા, અશોકભાઈ ચૌહાણ, પ્રવિણભાઈ ખસીયા તેમજ દેવાંગ કુકાવા, કલ્પેશભાઈ બાવરીયા વિ.જહેમત ઉઠાવી રહ્યા છે. આ પરિચય મેળા અંગે વધુ માહિતી માટે મો.૯૩૭૪૭ ૩૪૮૨૦ ઉપર સંપર્ક કરવા જણાવેલ છે. તસ્વીરમાં દેવાંગભાઈ કુકાવા, શૈલેષભાઈ માલમ, હિતેષભાઈ ધોળકીયા, રમણીકભાઈ માલકીયા, ભુપભાઈ જારેરા નજરે પડે છે.