રાજકોટ
News of Monday, 7th September 2020

પંજાબ નેશનલ બેંક કાલાવડ રોડ શાખા રાબેતા મુજબ ચાલુઃ કોરોનાનો કેસ નોંધાયો નથી

રાજકોટ તા. ૭ : અત્રેની કાલાવડ રોડ પર આવેલ પંજાબ નેશનલ બેંકમાં કોરોના આવ્યો હોવાનાં અહેવાલો બાદ આ અંગે તપાસ કરતાં એવુ માલુમ પડયું છે કે આ બેંકમાં કોરોનાનો કોઇ કેસ આવેલ નથી અને બેંક રાબેતા મુજબ ચાલુ છે. બેંકના સીનીયર મેનેજર દ્વારા પણ પરિક્ષણ કરાવવામાં આવતા તેમનો રીપોર્ટ પણ નેગેટીવ આવ્યો હોવાનું જાણવા મળે છે.

(3:24 pm IST)