રાજકોટ
News of Monday, 7th September 2020

મ.ન.પા. કચેરીમાં કોરોનાં સંક્રમણ વધતાં જન જાગૃતિનાં બોર્ડ લગાવાયા

રાજકોટ : મ.ન.પા.નાં કર્મચારીઓ કોરોનાં કંટ્રોલની કામગીરીમાં લાગી ગયા છે ત્યારે મ.પ.ન.ની કચેરીમાં પણ કોરોનાં સંક્રમણની સ્થીતી ગંભીર બનતાં કચેરીમાં ઠેર ઠેર કોવિડ-૧૯ ગાઇડ લાઇન અને નિયમોનું ચુસ્ત પાલન કરવા જન જાગૃતિનાં સ્ટીકરો બેનરો લગાવાયા છે. જેમાં જાહેરમાં થુંકવુ નહી, ૪ વ્યકિતએ ભેગ થવુ નહીંે. બે વ્યકિત વચ્ચે ૬ ફુટનું અંતર રાખવું માસ્ક ફરજીયાત પહેરવું હાથ મિલાવવા નહી વગેરે જેવી સુચનાઓ વાળા સ્ટીકરો પદાધિકારીઓની ચેમ્બર બહાર અને પાર્કીંગ, લીફટ, એન્ટ્રી, વિવિધ વિભાગોની બહાર લગાવવામાં આવ્યા છે. જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:57 pm IST)