મ.ન.પા.નાં ઇજનેરની આત્મહત્યા પ્રકરણમાં સંડોવાયેલા
વિવાદાસ્પદ કોન્ટ્રાકટરનાં બિલો ધડાધડ મંજુર થતાં હતાં: એકજ દિ’માં લાખોનાં પેમેન્ટ
મધુરમ કન્સ્ટ્રકશનનું ડીસેમ્બરનું પેમેન્ટ એકજ દિ’માં ધડાધડ આપી દેવાતાં શંકાનાં વાદળો ઘેરાયા
રાજકોટ તા. ૮: મ.ન.પા.નાં ઇજનેર પી. સી. જોષીની આત્મહત્યાનાં પ્રકરણમાં સંડોવાયેલ વિવાદાસ્પદ કોન્ટ્રાકટરના વગ એટલે સુધી તંત્રમાં હોવાનું ચર્ચાય છે કે તેનાં લાખોનાં બીલ એકજ દિવસમાં ધડાધડ મંજુર થઇ જાય છે.
મ.ન.પા.નાં ઇજનેરી અધિકારીઓમાં ચર્ચાતી વિગતો મુજબ પી. સી. જોષીની આત્મહત્યાનાં પ્રકરણમાં જે કોન્ટ્રાકટર મધુરમ કન્સ્ટ્રકશનનું નામ ખુલી રહ્યું છે તે મધુરમ કન્સ્ટ્રકશનની વગ એટલે સુધી છે કે તાજેતરમાં ડીસેમ્બરમાં આ એજન્સીએ મુકેલાં બીલો ધડાધડ એકી સાથે એકજ દિવસમાં મંજુર થઇ અને ઓડીટ વિભાગમાં પણ કલીયર થઇ ગયા બાદ લાખોનું પેમેન્ટ પણ થઇ ગયું હતું.
આમ આ વિવાદાસ્પદ કોન્ટ્રાકટર એજન્સીનાં બીલો એકજ દિવસમાં ધડાધડ મંજુર કરી દેવાયા છે ત્યારે આ બાબતને લઇ અનેક તર્કવિતર્કો થઇ રહ્યા છે.