રાજકોટ
News of Saturday, 8th January 2022

કોંગ્રેસની દુષિત માનસિકતા સામે શહેર ભાજપ દ્વારા ધરણા

રાજકોટ :  પંજાબમાં કોંગ્રેસ સરકારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સુરક્ષાના મામલે દાખવેલ બેદરકારી સામે શહેર ભાજપ દ્વારા જયુબેલી ગાર્ડન પાસે મહાત્મા ગાંધીજીની પ્રતિમા નીચે ધરણા કરી કોંગ્રેસને ભગવાન સદ્દબુધ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રભારી ઝવેરીભાઇ ઠકરાર, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજય મંત્રી અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, શહેરના મેયર ડો. પ્રદીપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, જિલ્લા ભાજપ પ્રભારી રક્ષાબેન બોળીયા, ભાનુબેન બાબરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સોનીયા ગાંધી અને રાહુલ ગાંધીને ભગવાન સદ્દબુધ્ધિ આપે તેવા પ્લેકાર્ડ રજુ કરાયા હતા. ભાજપના હોદેદારો, વોર્ડ પ્રભારી, પ્રમુખ, મહામંત્રીઓ, મોરચાના હોદેદારો, કોર્પોરેટરો અને તમામ શ્રેણીના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં કોરોનાની ગાઇડ લાઇનને અનુસરીને જોડાયા હોવાનુું ભાજપ કાર્યાલયની એક યાદીમાં જણાવાયુ છે.

(2:32 pm IST)