રાજકોટ
News of Saturday, 8th January 2022

અભિનેત્રી અમિષા પટેલ રાજકોટમાં: શ્રી ક્રિષ્‍ના ગૌશાળાની મુલાકાત લીધી

વિજય વાંક અને પરીવાર દ્વારા ગાય માતાની પ્રતિમા ભેટ આપી સ્‍વાગતઃ રજવાડી ઠાઠથી સજાવેલ ગૌ ધામથી ખુબ પ્રભાવીત થયા

રાજકોટઃ શહેરના પૂર્વ કોંગી કોર્પોરેટર અને આહિર સમાજના ભામાશા એવા વિજયભાઇ વાંક (મો.૯૮૨૪૪ ૬૫૩૭૬)ની ક્રિષ્‍ના ગૌશાળા (મવડી પાળ રોડ, ટીલાળા ચોક) ખાતે બોલીવુડની ફેમસ અભિનેત્રી અમીશા પટેલે ટુંકી મુલાકાત લીધી હતી અને ગૌશાળા જોઇને પ્રભાવીત થયા હતા.
અભિનેત્રી અમિષા પટેલ કે જેણે કહો ના પ્‍યાર હૈ.... ગદર જેવી હીટ આપી અને બોલીવુડમાં ધમાકેદાર એન્‍ટ્રી કરી હતી...
ક્રિષ્‍ના ગૌ ધામના સંચાલક વિજયભાઇ વાંક અને તેમના પરિવાર દ્વારા સૌરાષ્‍ટ્રની પરંપરા મુજબ અમિષા પટેલનું પુષ્‍પગુચ્‍છ અને ગાય માતાની પ્રતીમા ભેટ આપી ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત.... કાઠીયાવાડી પરંપરાગત ઢોલ શરણાઇના સુર સાથે કરવામાં આવ્‍યુ હતુ...
બે ત્રણ દિવસ પહેલા શ્રી ક્રિષ્‍ના ગૌ ધામની ગાયોની સેવા અને ત્‍યાંની રજવાડી ઠાઠથી સજાવેશ ‘ગૌ ધામ' થી પ્રેરાઇને મુંબઇથી રાજકોટ એરપોર્ટ પરથી સીધા જ પોતાના કાફલા સાથે શ્રી ક્રિષ્‍ના ગૌ ધામની મુલાકાત લીધી હતી...


 

(4:14 pm IST)