કચ્છ કાઠીયાવાડ ગુજરાત ગિરસદર એશો.ના પ્રમુખપદે ધુ્રવકુમારસિંહ જાડેજા
રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખની અવિરત સેવા યાત્રા
રાજકોટ, તા. ૮ : કચ્છ કાઠીયાવાડ ગુજરાત ગિરસદર એશો.ની સામાન્ય સભા શ્રી હરભમજીરાજ રાજપૂત છાત્રાલયમાં મળેલ જેમાં એશો.ના પ્રમુખ તરીકે સર્વાનુમતે શ્રી ધ્રુવકુમારસિંહજી જાડેજા (ધ્રુવદાદા) ની વરણી કરવામાં આવી હતી.
શ્રી ધ્રુવકુમારસિંહજી જાડેજા (ધ્રુવદાદા) ની વરણી કરવામાં આવી હતી. શ્રી ધ્રુવકુમારસિંહજી જાડેજા ભૂતકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્યક્ષ, પંચાયતના ઉપાધ્યક્ષ તરીકે રહી ચુકયા છે. ટંકારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, રાજકોટ જિલ્લા સહકારી બેંકના ડીરેકટર, મોરબી માર્કેટ યાર્ડના ઉપપ્રમુખ વગેરે સ્થાનો પર તેમણે પ્રશંસનીય કામગીરી કરી છે. દ્વારકા જગતગુરૂ શંકરાચાર્યાની સંચાલિત દ્વારકાપીઠના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપે છે. એશો.ના સુકાની તરીકે તેમની વરણીને સમાજના આગેવાનોએ આવકારેલ છે. તેઓ પ-રજપૂતપરા ખાતની એશો.ની ઓફીસે નિયમિત ઉપસ્થિત રહેનાર છે. તેનું સમયપત્ર ટુંક સમયમાં જાહેર કરશે.