News of Wednesday, 8th February 2023
અકિલા પરિવાર - ગણાત્રા પરિવારને સાંત્વના આપતા કદીર પીરઝાદા
રાજકોટ : અકિલાના તંત્રી અજિતભાઇ ગણાત્રાના ધર્મપત્ની શ્રીમતી વીણાબેન અજિતભાઇ ગણાત્રાનો દેહવિલય થતાં આજે કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી અને સુરતના પૂર્વ મેયર કદીર પીરઝાદાએ ગણાત્રા પરિવારના આંગણે આવી ઘટના અંગે ઘેરો શોક વ્યકત કરી અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા, અજિતભાઇ ગણાત્રા વગેરેને સાંત્વના આપી હતી. આ તકે કોંગ્રેસના પ્રદેશ મંત્રી રહીમ સોરા તથા શહેર કોંગ્રેસના મહામંત્રી હબીબ ગનીભાઇ કટારીયા સાથે રહ્યા હતા. (તસ્વીર : રમેશ ટંકારીયા)
(11:43 am IST)