રોયલ પાર્ક મોટા સંઘ અને શેઠ ઉપાશ્રય જૈન સંઘમાં છાશ વિતરણ
રાજકોટ તા. ૮ : શેઠ ઉપાશ્રય જૈન સંઘમાં અને રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ સી. એમ. શેઠ પૌષધ શાળાના આંગણેથી ઉનાળાની ગરમીઓના દિવસોમાં અમૃત છાશ કેન્દ્રનું આયોજન કરવામાં આવે છે.
રોયલ પાર્કમાં તપસ્વી પૂજય વનિતાબાઇ સ્વામી અને શેઠ ઉપાશ્રયમાં સાધ્વીરત્ના પૂ. સુનિતાબાઇ સ્વામીની પ્રેરણાથી છાશ વિતરણ પ્રવૃતિઓ ચાલી રહી છે શેઠ ઉપાશ્રય સંઘના મંત્રી નયનાબેન મોદી અને રિધ્ધિબેન બાવીસીના પ્રયાસો અને સહયોગથી લાભાર્થીઓ વહેલી સવારે લાભ લઇ રહ્યા છે રોયલ પાર્ક મોટા સંઘમાં નીતિનભાઇ દોશી તથા જગુભાઇ દોશી અને દિલીપભાઇ મહેતા તથા કેતનભાઇ શેઠ બીપીનભાઇ પારેખ અને પારસભાઇની સેવા રોજબરોજ છાશ વિતરણ થઇ રહ્યું છે બંને ઉપાશ્રયના છાશ કેન્દ્ર ચંદ્રકાંતભાઇ શેઠના માર્ગદર્શન દ્વારા ચાલી રહ્યા છે.