રાજકોટ
News of Monday, 8th August 2022

હોમગાર્ડ ઓફિસ પાસેથી બેભાન મળેલા વૃધ્‍ધનું મોતઃ વાલીની શોધ

દાખલ થયા ત્‍યારે રમેશભાઇ પરમાર નામ લખાવ્‍યું હતું

રાજકોટ તા. ૮: રેસકોર્ષ રીંગ રોડ પર હોમગાર્ડ ઓફિસ નજીકથી આશરે ૭૧ વર્ષના વૃધ્‍ધ ૧૭/૭ના રોજ બિમારી સબબ બેભાન હાલતમાં મળતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ તેમનું ૬/૮ના રોજ મોત નિપજતાં પ્ર.નગર પોલીસ મથકના એએસઆઇ કે. વી. માલવીયા અને રામજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી. વૃધ્‍ધને દાખલ કરાયા ત્‍યારે પોતાનું નામ રમેશભાઇ પરમાર (ઉ.વ.૭૧) જણાવ્‍યું હતું. એડ્રેસ જણાવી શક્‍યા નહોતાં. તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

(12:08 pm IST)