બોલીવુડના પ્રખ્યાત ગાયકોને રાજકોટમાં માણવા છે? ‘તાલ તરંગ' સંસ્થાનો સંપર્ક કરો
‘તાલ તરંગ' સંસ્થા હેઠળ યોજાશે સંગીતના ક્વોલિટી કાર્યક્રમોની વણઝારઃ વહેલા તે પહેલાના ધોરણે સભ્યપદ મેળવી આજે જ જોડાવ
‘‘તાલ તરંગ'' સંસ્થામાં સભ્ય પદ મેળવનાર કપલ (બે વ્યકિત) અથવા ગ્રૂપને આખા વર્ષના એક જોવો અને એક ભુલો તેવા અદભૂત ૬ પ્રોગ્રામ અને સાથે ૧ બોનસ પ્રોગ્રામ આપવામાં આવશે
મનગમતી સીટ માટે તાલ - તરંગનું સભ્ય પદ આજે જ મેળવી લ્યોઃ સુદેશ ભોંસલે જેવા દિગ્ગજ કલાકારો તાલ - તરંગ અને ભારતી નાયકના સથવારે રાજકોટ આવી રહ્યા છે
અન્વેષાના સુપર ડુપર હિટ શો પછી ‘બોલીવુડ ઇવેન્ટ' ભારતીબેન નાયક પ્રસ્તુત ‘તાલ તરંગ' સંસ્થામાં એક થી એક ચઢિયાતા શો માણવા વહેલા તે પહેલાના ધોરણે આજે જ જોડાવ
‘‘મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા'' સાત સુરો નો સંગમ એટલે સંગીત. જીવનમાં સંગીત નુ મહત્વ ખુબ જ રહેલુ છે. ગમે તેવા થાકેલા હારેલા માણસ ને પણ સંગીત નાચતા કરી દે છે. આજની ફાસ્ટ લાઇફમાં રીલેક્સ થવા માટે સંગીતના ક્વોલિટી કાર્યક્રમોની જરૂર છે. જોકે રાજકોટવાસીઓ માટે ખુબ જ સારા સમાચાર એ છે કે હવે ટેન્સન મુક્ત કરનાર ટોપ ગ્રેડના કલાકારોને મુંબઇની પ્રખ્યાત બોલીવુડ ઇવેન્ટ ના ભારતીબેન નાયક ‘તાલ તરંગ' સંસ્થા હેઠળ લાવી આવા સંગીતના ક્વોલિટી કાર્યક્રમોની વણઝાર કરવાના છે.
લતા મંગેશકરજીને શ્રધ્ધાંજલિ આપતો અપ્રતિમ કાર્યક્રમ હમણાંજ રાજકોટમાં યોજાયો જેમાં ધુરંધર પ્લેબેક સીંગર અન્વેષા એ તેની સુરીલી ગાયકિથી લોકોને રીતસર મંત્રમુગ્ધ કરી દીધા. આવાજ બીજા કલાકાર કે જેઓ બોલીવુડમાં અમિતાભ બચ્ચનનો અવાજ ગણાય છે અને તેમના લગભગ બધાજ ગીતો જેમણે ગાયા છે તેવા અને બોલીવુડના તમામ કલાકારોની મિમિક્રિ કરી જાણનાર બેતાજ બાદશાહ સુદેશ ભોંસલે પણ આગામી સમયમાં રાજકોટની પબ્લિકનું મન જીતવા આવવાના છે. આવા એક એક થી ચઢિયાતા પ્રોગ્રામ ‘તાલ તરંગ' સંસ્થાના ભારતીબેન નાયક લાવી રહ્યા છે.
તાજેતરમાં રાજકોટના આંગણે બોલીવુડ ઇવેન્ટના નેજા હેઠળ ‘તાલ તરંગ' સંસ્થા દ્વારા આવીજ આહલાદક અનુંભૂતિ લોકોએ અનુંભવી. આ હાઉસફુલ શોમાં હકડેઠઠ જનમેદનીએ કાર્યક્રમને દિલથી માણ્યો અને વખાણ્યો. રાજકોટની સંગીતપ્રેમી જનતાને આવાજ એક એક થી ચઢિયાતા કાર્યક્રમો આપવાનું અદકેરૂં આયોજન ‘તાલ તરંગ' સંસ્થાના ભારતીબેન નાયક દ્વારા કરાયું છે. બોલીવુડના લગભગ દરેક ગાયકો સાથે ભારતમાં અને વિદેશમાં શો કરી ચૂક્યા છે. રાજકોટમાં ઇન્ડિયન આઇડોલના કલાકારોનો તથા અન્વેષાનો સુપર ડૂપર હિટ કાર્યક્રમ આપવાનો શ્રેય તેમના ફાળે જાય છે. હવે આવાજ એક જુઓ ને એક ભુલો તેવા યાદગાર શો રાજકોટવાસીઓને ‘તાલ તરંગ' સંસ્થા આપવા જઇ રહી છે ત્યારે ‘તાલ તરંગ' સંસ્થામાં સભ્ય પદ મેળવનાર કપલ (બે વ્યકિત) અથવા ગ્રૂપને આખા વર્ષના આવા ૬ પ્રોગ્રામ અને સાથે ૧ બોનસ પ્રોગ્રામ આપવામાં આવશે. ‘તાલ તરંગ' સંસ્થામાં જોડાવા બોલીવુડ ઇવેન્ટના ભારતીબેન નાયકનો વહેલા તે પહેલાના ધોરણે ૯૮૯૨૬ ૨૫૭૬૮ પર સંપર્ક કરવા એક યાદિમાં જણાવાયું છે.