રાજકોટ
News of Monday, 8th August 2022

રાજકોટના તલાટીઓ દ્વારા નવાગામમાં સૂત્રોચ્‍ચાર

રાજકોટઃ આજરોજ આણંદપર (નવાગામ) અને માલિયાસણ આ બે ગામો ખાતે રાજકોટ તાલુકાના ૬૫ જેટલા તલાટી - કમ - મંત્રીઓ ‘હર ઘર તિરંગા યાત્રા' અભિયાન અંતર્ગત ગ્રામજનોના દ્વારે તા.૧૩ થી ૧૫ રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવવા જાગૃતિ રેલી સાથે તલાટી-મંત્રીના પડતર પ્રશ્‍નો સરકાર તાત્‍કાલિક નિકાલ કરે એવી માંગણીના સૂત્રોચ્‍ચાર અને તલાટીને ન્‍યાય મળે એવી માંગણી સાથે રેલી કાઢી સરકારનું ધ્‍યાન દોરવા અને દેશ પ્રેમ દર્શાવવા તિરંગા કાર્યક્રમને યોજવામાં આવ્‍યો તેમ શ્રી ચિરાગ  ગરૈયા, પ્રમુખ-રાજકોટ જિલ્લા તલાટી-કમ-મંત્રીમંડળ જણાવે છે

(3:21 pm IST)