રાજકોટ
News of Monday, 8th August 2022

હર ધર તિરંગા..

ભારત સરકારે આ ૭૫મા આઝાદીકા અમળત મહોત્‍સવ અંતર્ગત સ્‍વતંત્રતા દિવસ પર ઘેર-ઘેર રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવવાની ખૂબ જ પ્રશંસાત્‍મક પહેલ શરૂ કરી છે. સમગ્ર ભારતવાસીઓ આ પહેલમાં ખુબજ ઉત્‍સાહથી જોડાઇ રહ્યા છે ત્‍યારે રાજકોટના ખુબજ નામાંકિત આઇ સર્જન ડો. દિલીપ અગ્રવાલ સાહેબે તેમના કેમેરામાં આ પ્રસંગને અનુરૂપ તસવીરને બખુબી ઝડપી લીધી હતી. જેમાં ખીસકોલી અને પોપટ પણ તિરંગો લહેરાવી આઝાદ ભારતના આ મહાપર્વને મનાવી રહ્યા હોય તેવું અદભૂત દ્રશ્‍ય રચાયેલું જોવા મળે છે. (તસવીરઃ ડો.દિલીપ અગ્રવાલ)

(4:44 pm IST)