રાજકોટ
News of Tuesday, 8th September 2020

કોરોનાની કડી તોડવા એકશન પ્લાન : દરેક સ્થળે કોવિડ કો-ઓર્ડિનેટર ફરજીયાત

સોસાયટીઓ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, ખાનગી - સરકારી ઓફિસોમાં કોવિડ : કો-ઓર્ડિનેટર રાખવા પડશે : કો-ઓર્ડિનેટર અંગે વોર્ડ ઓફિસે રજીસ્ટ્રેશન કરાવવું પડશે :સોશ્યલ ડીસ્ટન્શ, માસ્ક ફરજીયાત, થર્મલ ગનથી ટેમ્પરેચર વધુ આવે તો તુરંત જ આવશ્યક પગલા લેવડાવવા પડશે : મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલનો હુકમ

વોર્ડ નં. ૧૦માં કોરોના સર્વેની સમીક્ષા કરતા ઉદિત અગ્રવાલ  : રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૦માં કોરોના અંગે ડોર-ટુ-ડોર થઇ રહેલ સર્વેની કામગીરીની આજે વહેલી સવારે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે સમીક્ષા કરી હતી તે વખતની તસ્વીર.

રાજકોટ તા. ૮ : શહેરમાં કોરોના બેફામ બન્યો છે ત્યારે કોરોનાને અગાળ વધતો અટકાવવા અને તેની કડી તોડવા માટે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે ખાસ એકશન પ્લાન બનાવી અને દરેક સ્થળે કોવિડ કો-ઓર્ડીનેટરની નિમણૂંક ફરજીયાત કરવા હુકમ કર્યો છે.

આ અંગે મ્યુ. કમિશનર શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણને પ્રસરતો અટકાવવાના પ્રયાસો વધુ સતેજ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ પગલાંઓ જુદાજુદા મોરચે યુધ્ધના ધોરણે અલગઅલગ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરની જુદીજુદી સોસાયટીઓ, ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષ વગેરેમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલ ગનથી ટેમ્પરેચર માપવું, કોઈને તાવ કે શરદી દેખાય તો તરત જ આવશ્યક પગલાં સહિતની કામગીરીનું આયોજન કરવા માટે કોવિડ કોર્ડિનેટર નિયુકત કરવા હુકમ કરવામાં આવેલ છે.

વર્તમાન સમયમાં નાગરિકો જેટલી વધુ કાળજી રાખે એટલું કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવી શકાય. આ બાબતને ધ્યાનમાં રાખી કોવિડ કોર્ડિનેટરની વ્યવસ્થા કરવાનું નક્કી કરવામાં આવેલ છે તેમ જણાવી મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં એમ જણાવ્યું હતું કે, જે તે સોસાયટીઓ, ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષ કે અન્ય ઈમારતોમાં રહેતા કે વ્યવસાય કરતા લોકોમાં જો કોઈને પણ શરદી કે તાવ હોય તો તુર્ત જ કોવિડ કોર્ડિનેટર દ્વારાઙ્ગ મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસરને જાણ કરવામાં આવશે. જેના માધ્યમથી હેલ્થ હેલ્પલાઈન ૧૦૪ મારફત જરૂરી કાર્યવાહી કરશે. આ ઉપરાંત જે કોઈ દર્દીને કોરોનાના પોઝિટિવ લક્ષણ દેખાય તો તેની છેલ્લા ૧૪ દિવસની હિસ્ટ્રીની તપાસ કરી આવશ્યક એવા તમામ પગલાં લઇ શકાય.

વિશેષમાં જે તે સોસાયટીઓ, ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષ કે અન્ય ઈમારતોમાં રહેતા કે વ્યવસાય કરતા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે, ફરજિયાત માસ્ક પહેરવા, તેમજ થર્મલ ગનથી ટેમ્પરેચર માપવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી વ્યવસ્થા પણ થાય અને લોકો સતત જાગૃત રહી કોરોના વાયરસ સામે ચાલતી લડતમાં સહભાગી બને તે દિશામાં રાજકોટ મહાનગરપાલિકા સતત પ્રયાસો કરી રહી છે.(૨૧.૪૦)

કોરોના દર્દી શોધવા માટે હવે પી.એસ.આઇ.ને સાથે રાખીને સર્વે કરાશે

રાજકોટ : કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણની કડી તોડવા માટેઙ્ગ શરદી તાવના દર્દીઓને શોધી તેઓના ટેસ્ટ કરવા અત્યંત આવશ્યક હોઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહથી ૧૨૦૦ થી ટીમો દ્વારા શહેરના દરેક વોર્ડમાં મેગા સર્વેલન્સ હાથ ધરાયું હતું. આમ છતાં કોઈ કારણસર જો કોઈ વિસ્તારમાં સર્વે ના થઇ શકયો હોય તો એ અનુસંધાન પણ જોડી દેવા માટે તેમજ કોઈ ઘર બાકી ના છૂટી જાય તે સુનિશ્ચિત કરવા માટે હવે રાજકોટ મહાનગરપાલિકાએ પોલીસ ડીપાર્ટમેન્ટની મદદ સાથે આ કામગીરી આગળ ધપાવવાનું નક્કી કરેલ છે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં એમ જણાવ્યું હતું કે, જે કોઈ વિસ્તાર મનપાના સર્વેની કામગીરીમાં બાકી રહી ગયાં હોય ત્યાં આ કામગીરી સુનિશ્ચિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે તે વિસ્તાર માટે નક્કી કરાયેલી ટીમ સાથે પોલીસ સબ ઇન્સ્પેકટરને મોકલવા માટેની વ્યવસ્થા કરાવવામાં આવી રહી છે.

કોરોના સામે લડત : બેંકો, ઓફિસો, દુકાનો વગેરે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સ સહિતના પાલન માટે તંત્ર માર્ગદર્શિકા આપશે

રાજકોટ : કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણની કડી તોડવા માટે ઙ્ગરાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવી રહેલા જુદાજુદા પગલાંઓ અનુસંધાને ઙ્ગશહેરની જુદીજુદી બેંકો, ઓફિસો, દુકાનો કોમર્શિયલ કોમ્પલેક્ષ વગેરેમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવા માટે મહાનગરપાલિકા દ્વારા નિયમો જાહેર કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

વિશેષમાં મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, જે તે બેંકો, ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષ, દુકાનો કે અન્ય ઈમારતોમાં લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય અને તે માટેની જાગૃતિ આવે તે માટે દરેકને માર્ગદર્શીકાના માધ્યમથી કોરોના વાયરસ સામે ચાલતી લડતમાં સૌ નાગરિકો સાથસહકાર આપે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વ્યવસ્થા કરાવવામાં કરી રહી છે.

(3:44 pm IST)