ભાજપ કાર્યાલયેથી કાલે પળેપળના ચુંટણી પરીણામોનું પ્રસારણ થશેઃ મોટી સ્ક્રીન મુકાશે
રાજકોટ, તા., ૭: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયું છે કે ગુજરાતના આંગણે લોકશાહીના મહાપર્વ એવા વિધાનસભા ચુંટણીનું મતદાન શાંતિપુર્ણ રીતે સંપન્ન થયેલ છે ત્યારે આવતીકાલે તા.૮ના ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરીણામ જાહેર થનાર હોય શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી છે, કાલે સવારે ૯:૦૦ કલાકથી જ કમલમ કાર્યાલય ખાતે ચૂંટણી પરીણામોની પળેપળની ખબર મળી રહે તે માટે જીવંત પ્રસારણ નિહાળવામાં આવશે. કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરએ જાહેર અનુરોધ કરેલ છે.