News of Wednesday, 9th September 2020
૧૪ મીથી સ્પાઇસ જેટ રાજકોટ-મુંબઇ વચ્ચેનો ૧૮મીથી રાજકોટ-દિલ્હી વચ્ચે ફલાઇટ ઉડાડશે
બંન્ને ફલાઇટો સવારે જ આવશેઃ બુકીંગ ચાલુઃ બન્નેનો સમય હવે ફાઇનલ થશે
રાજકોટ, તા., ૯: હાલ એર ઇન્ડીયાથી રાજકોટ-મુંબઇ વચ્ચે વીકમાં ત્રણ દિવસ મંગળ-ગુરૂ-શની ફલાઇટનું આવાગમન છે.
તો રાજકોટ-દિલ્હી વચ્ચે ડાયરેકટર બે દિવસ ફલાઇટ એર ઇન્ડિયા ઉડાવી રહી છે. હવે સ્પાઇસજેટ પણ મેદાનમાં આવ્યું છે અને તા. ૧૪મીથી રાજકોટ-મુંબઇ વચ્ચે ડેઇલી ફલાઇટ ઉડાડશે. સંભવત આ ફલાઇટ સવારે ૮ વાગ્યે આવી ૮-૩૦ કલાકે રાજકોટથી મુંબઇ રવાના થશે. જો કે આ સમયમાં ફેરફાર થવાની શકયતા રહેલી છે. રવિવારે ટાઇમ ફાઇનલ થઇ જશે.
આ ઉપરાંત સ્પાઇસ જેટ ૧૮મીથી રાજકોટ દિલ્હી વચ્ચે પણ ડેઇલી ફલાઇટ ઉડાડશે આ અંગે પણ બુકીંગ શરૂ થઇ ગયું છે. આ ફલાઇટ સવારે ૯ વાગ્યે રાજકોટ આવી ૯-૩૦ કલાકે દિલ્હી રવાના થાય તેવી શકયતા હોવાનું વિશ્વસનીય અધિકારી વર્તુળો જણાવી રહ્યા છે.
(3:13 pm IST)