રાજકોટ
News of Wednesday, 9th September 2020

શહેરમાં હેલ્મેટની હૈયાહોળી નહિ થાય એ જાણી વાહનચાલકો ખુશ

આજથી આગામી ૨૦મી સુધી રાજ્યભરમાં હેલ્મેટના કેસો કરવાના આદેશ થયાનો પરિપત્ર સોશિયલ મિડીયામાં ફરતો થઇ જતાં શહેરના વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જેને ખબર હતી એ લોકો સવારે હેલ્મેટ ધારણ કરીને જ નીકળ્યા હતાં. પણ બાકીના મોટા ભાગના હેલ્મેટ વગર નીકળી પડ્યા હતાં. બપોરે જ્યારે ખબર પડી કે શહેરી વિસ્તારમાં હાલ આ કાયદો અમલી નથી બનાવાયો ત્યારે વાહનચાલકોમાં ખુશીની લ્હેર દોડતી થઇ હતી. જો કે હાલ હાઇવે પર દંડની વસુલાત શરૂ કરવામાં આવી છે એ આગામી દિવસોમાં શહેરમાં પણ શરૂ થઇ શકે છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:59 pm IST)