રાજકોટ
News of Wednesday, 9th September 2020

શાંતિનિકેતન એવન્યુ સોસાયટીમાં પાણીની ફરીયાદ : નવી પાઇપ લાઇન કામનો પ્રારંભ

રાજકોટ : શહેર વોર્ડ નં.૧માં આવેલ શાંતિનિકેતન એવન્યુ સોસાયટીમાં પીવાના પાણીની વ્યાપક ફરીયાદો હતી. ત્યારે વોર્ડ નં.૧ના કોર્પોરેટરોને જાણ થતાં આજરોજ તે સોસાયટીને આજે ખાતમુહુર્ત કરી નવી પીવાના પાણી વિતરણ પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરાયું છે. આ પ્રસંગે કોર્પોરેટર બાબુભાઇ આહીર હસ્તે આ કામનો શુભા આરંભ કરાયો સાથે કોર્પોરેટરો આશિષભાઇ વાગડીયા, દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરજરીયા, વોર્ડ ભાજપ પ્રમુખ હિતેશભાઇ મારૂ, મહામંત્રી કાનાભાઇ ખાણધર, જયરાજસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ રસિકભાઇ બદુકીયા, ભરતસિંહ ચુડાસમા, ભરતભાઇ પરમાર, શૈલેષભાઇ ડોડીયા, અરવિંદભાઇ બોરીસાગર, સંદીપભાઇ ટાંક, વિમલભાઇ સોલંકી, રાકેશભાઇ તેરૈયા, હિમાંશુભાઇ કટારીયા વિગેરે હાજર રહેલ.

(4:16 pm IST)