ગાંધીધામ અંજાર પોલીસના ઘરફોડ ચોરીના ગુનામા ત્રણ વર્ષથી ભાગતા ફરતા ગરબાડાના શૈલેષને રાજકોટ તાલુકા પોલીસે પકડયો
રાજકોટ: ગાંધીધામ અંજાર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર શૈલેષ કાળુભાઈ ખરાડી-આદિવાસી ભીલ (ઉ.વ.૩૦ રહે. જેશાવાડા વિસ્તાર સરસોડા ગામ તા.-ગરબાડા જી.-દાહોદ) રાજકોટમાં મવડી ગામ ૮૦ ફુટ રોડ ઈસ્કોન હાઈટ્સની બાજુમા રોડ પર આવ્યો છે તેવી બાતમી પો.સબ.ઈન્સ. એન.ડી.ડામોર તથા પો.હેડ.કોન્સ. વિજયગિરી ગૌસ્વામી અને પો.કોન્સ. અરજણભાઇ ઓડેદરાને મળતા પકડી લીધો છે.
શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા (ઝોન-ર) તથા મદદનિશ પોલીસ કમિશ્નર જે.એસ.ગેડમની સૂચના મુજબ પોલીસ ઇન્સ. જે.વી.ધોળા, પો.સ.ઇ. એન.ડી.ડામોર તથા એએસઆઇ આર.બી.જાડેજા, હે.કો. વિજયગીરી ગોસ્વામી, મોહશીનખાન મલેક, કોન્સ. અમીનભાઇ ભલુર, અરજણભાઇ ઓડેદરા, હરસુખભાઇ સબાડ, મનિષભાઇ સોંઢીયા, ધર્મરાજસિંહ રાણા, હર્ષરાજસિંહ જાડેજા તથા લાલજીભાઈએ આ કાર્યવાહી કરી છે.