કોર્પોરેશન ફરી ધમધમ્યુ : લોક પ્રશ્નોના નિકાલ
વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવતા : સ્ટેન્ડીંગ ચેરમેન તથા કોર્પોરેટરો રીઝલ્ટના ગણતરીના કલાકોમાં ઓફીસમાં હાજર
રાજકોટ,તા.૯ : વિધાનસભાની સામાન્ય ચુંટણીની આદર્શ આચારસંહિતા સંદર્ભ જુદા જુદા વિસ્તારોમાં લોક પ્રચાર અને ક્ષેત્રીય કામગીરી સંદર્ભે કોર્પોરેટરઓ તથા પદાધિકારીઓ વિસ્તારમાં કાર્યરત હતા હાલ ચુંટણી પૂર્ણ થયેલ છે. તેમજ પરિણામ પણ જાહેર થયેલ હોઈ, મહાનગરપાલિકા ભાજપ કાર્યાલયમાં જુદા જુદા પ્રશ્નો સંદર્ભ આવતા લોકોને કોઈ હાલાકી ન રહે તેમજ લોકોના પ્રશ્નોનો ત્વરિત નિકાલ થાય તે ધ્યાને લઇ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, કોર્પોરેટર તથા સ્ટેન્ડીંગ કમિટી સભ્ય મનીષભાઈ રાડીયા તથા ચેતનભાઈ સુરેજા, કેતન પટેલ મનપા કચેરી ખાતે આજથી પુનઃ કાર્યરત થયા છે. જેનાથી લોકોના રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી કામગીરી લગત પ્રશ્નો સંદર્ભે જેમ કે આવકના દાખલા, આધારકાર્ડમાં સહી વિગેરે કામગીરી ઝડપથી થઇ શકશે.