News of Saturday, 10th April 2021
રાજકોટની વાઈનશોપ પણ દર શનિ-રવિ બંધ
રાજકોટ : શહેરની તમામ વાઈનશોપ આજે બપોરે બંધ થઈ ગયાનું જાણવા મળે છે. દર શનિ - રવિ તમામ વાઈન શોપ બંધ રહેશે તેવો નિર્ણય લેવાયો છે. કોરોનાનું સંક્રમણ વધતા દુકાનો, બજારોની જેમ હવે વાઈનશોપ સોમથી શુક્ર ચાલુ રહેશે. જયારે શનિ-રવિ બંધ રહેશે.
(6:40 pm IST)