રાજકોટ
News of Saturday, 10th June 2023

રામનાથપરામાં શાદીમાં આવેલા બે ભાઇઓ પર છરીથી હુમલો

તરઘડીયાના જુનેદ અને અલરશીદને હનીફભાઇ સહિતનાએ છરીથી ઘાયલ કર્યા

રાજકોટ તા. ૧૦: પડધરીના તરઘડીયા ગામેથી રાજકોટ શાદી પ્રસંગમાં આવેલા બે ભાઇઓ પર રામનાથપરામાં હુમલો થયો હતો. તરઘડીયા રહેતાં જુનેદ સિદ્દીકભાઇ બાંજા (ઉ.વ.૨૪) અને તેનો મોટો ભાઇ અલરશિદ સિદ્દીકભાઇ બાંજા (ઉ.વ.૨૯) બપોરે પોણા ત્રણેક વાગ્‍યે રાજકોટ રામનાથપરા ઘાંચી જમાતખાનાની બહાર હતાં ત્‍યારે હનીફભાઇ તથા તેના દિકરા સહિત ચાર અજાણ્‍યાએ છરીથી હુમલો કરતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે.

આ બંને ભાઇઓ મજુરી કામ કરે છે. માસીના દિકરીના લગ્ન હોઇ બંને તેમાં હાજરી આપવા આવ્‍યા હતાં. ત્‍યારે કોઇ કારણે માથાકુટ થતાં હુમલો થયો હતો. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

(3:58 pm IST)