રાજકોટ
News of Thursday, 10th September 2020

રામાપીર ચોકડી પાસે કૃતિ રેસીડેન્સીમાં રણછોડભાઇ ચાવડાનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ,તા.૧૦ : રામાપીર ચોકડી લાખના બંગલા પાસે કૃતિ રેસીડેન્સીમાં રહેતા વૃધ્ધે બારીની ગ્રીલમાં દોરી બાંધી ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ રામાપીર ચોકડી ૮૦ ફૂટ રોડ લાખના બંગલાવાળા રોડ પર આવેલા કૃતિ રેસીડેન્સી બ્લોક નં.બી/૧૦૪માં રહેતા રણછોડભાઇ જીણાભાઇ ચાવડા (ઉવ.૬૦) એ ગઇકાલે પોતાના ઘરે રૂમમાં બારીની લોખંડની ગુુલમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પુત્રવધુ વૃધ્ધને લટકતી હાલતમાં જોઇ દેકારો બોલાવતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા બાદ ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળપર પહોંચી ઇએમટી ચીરાગભાઇએ તપાસ કરતા વૃધ્ધનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા ગાંધ્રીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ રાહુલભાઇ વ્યાસ અને  રાઇટર કૃષ્ણસિંહ એ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:06 pm IST)