News of Thursday, 10th September 2020
સંઘાણી સંપ્રદાયના સાધ્વીજી પૂ.રાજુલબાઈ મ.સ.ને કોરોના
રાજકોટઃ વૈશ્વીક મહામારી કોરોનાએ કેર વર્તાવ્યો છે, ત્યારે શહેરના ધર્માલય (સત્યસાંઈ હોસ્પીટલ રોડ) ખાતે બીરાજતા સંઘાણી સંઘના સાધ્વીજી પણ કોરોના પોઝીટીવ આવતા જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો છે.
પૂ.રાજુલબાઈ મ.સ.ને થોડા દિવસ પહેલા સંઘાણી સંઘના એક પ્રતિષ્ઠીત હોદ્દેદાર દર્શને આવતા કોરોના થયો હોવાનું જાણવા મળ્યુ છે. પૂ.રાજુલબાઈ મ.સ. ઉપરાંત સંઘાણી સંઘના અન્ય બે લોકો પણ ત્યાર બાદ પોઝીટીવ આવ્યા છે.
પૂ.રાજુલબાઈ મ.સ.ને હાલ ધર્માલય ખાતે જ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જૈન સમાજમાં મહાસતીજીને કોરોના આવતા અગ્રણીઓ અને શ્રાવકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.
(3:57 pm IST)