રાજકોટની સીવીલ અને ખાનગી હોસ્પીટલ થઇને કોરોના માટે કુલ ર૦૦૦ બેડઃ એમાંથી હાલ ૮૧૪ બેડ ઉપલબ્ધ
જીનેસીસમાં ૪૧ તો વોકહાર્ટ-સ્ટર્લીંગમાં ૬૦ બેડ શરૃઃ સીવીલમાં ૮૦ તો સમરસમાં ર૦૦ બેડ હાલ ખાલી : રાજકોટની નીલકંઠ હોસ્પીટલ બીજી વખત ઝપટેઃ કલેકટરે બીજી વખત દર્દીને ૧ાા લાખ પરત અપાવ્યા : સીવીલમાં રાજકોટની ૪ નર્સીગ કોલેજમાંથી વધુ ૧૧૪ નર્સની નિમણુંક કરાઇઃ પત્રકારોને વિગતો આપતા એડી. કલેકટર પરિમલ પંડયા
રાજકોટ તા. ૧૦ :.. કલેકટર કચેરી ખાતે આજે એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા એ પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં કોરોના દર્દીઓ માટે હાલ સીવીલ અને સમરસ તથા ખાનગી હોસ્પીટલ મળી કુલ ર હજાર બેડ છે તેમાંથી ૮૧૪ બેડ હાલ ખાલી છે. તેમણે જણાવેલ કે ર હજાર બેડમાં સીવીલમાં પર૩, સમરસ હોસ્ટેલમાં પ૧ર, કેન્સર હોસ્પીટલ કે જે ગઇકાલે શરૂ થઇ તેમાં ર૦૦, અને ખાનગી હોસ્પીટલમાં ૮૪૪ બેડ છે, આ બધામાંથી સીવીલમાં ૯૦ થી વધુ તો સમરસમાં ર૦૦ થી વધુ બેડ હાલ ખાલી છે.
તેમણે ઉમેર્યુ હતું કે આ ઉપરાંત જીનેસીસમાં ૪૧ બેડ અને વોકહાર્ટ - સ્ટલીંગમાં નવા ૬૦ બેડ શરૂ કરી દેવાયા છે. તેમજ સીવીલમાં અમદાવાદથી ૭૦ ડોકટરો ગઇકાલે સાંજે આવી ગયા છે, અને વધુ ૧૧૪ નર્સ રાજકોટની ૪ નર્સીંગ કોલેજમાંથી સીવીલમાં ગઇકાલે જ ફાળવી દેવાયેલ છે.
તેમણે જણાવેલ કે ઓરેન્જ હોસ્પીટલને વધુ ભાવો અંગે નોટીસ અપાઇ છે, હોસ્પીટલના સત્તાવાળાઓએ જવાબ રજૂ કર્યો પરંતુ ગઇકાલે તેઓ રૂબરૂ નહી આવતા આજે પરત બોલાવાયા છે.
નીલકંઠ હોસ્પીટલ અંગે તેમણે જણાવેલ કે કોરોના દર્દી પાસેથી વધુ પૈસા લેવા બદલ અગાઉ ૧ાા લાખ દર્દીને પરત અપાવ્યા બાદ, બીજો આવો કિસ્સો આવતા ગઇકાલે વધુ ૧ાા લાખ બીજા દર્દીને પરત અપાવાયા છે, અને નીલકંઠ હોસ્પીટલના સત્તાવાળાઓને હવે ચેતવણી પણ આપી દેવાઇ છે.