રાજકોટ
News of Friday, 11th June 2021

રીંગરોડ-ર નો કાંગશીયાળી પાસેનો પુલ સત્વરે ચાલુ કરો : 'આપ' દ્વારા રૂડામાં રજુઆત

રાજકોટ : આમ આદમી પાર્ટી દ્વારા રૂડા ચીફ ઓફીસરને પત્ર પાઠવી રીંગરોડ -ર કાંગશીયાળી પાસે અટકી પડેલ પુલનું કામ ફરી શરૂ કરાવવા રજુઆત કરી છે. 'આપ' ની ટીમ દ્વારા સ્થળ તપાસમાં આ કામ છેલ્લા ઘણા સમયથી બંધ જણાયુ છે. આ બ્રીજને ડાયવર્ઝન કરીને ચાલુ કરી શકાય તેમ છે. સાઇટ ઉપર બાંધકામની વિગત દર્શાવતુ બોર્ડ પણ લગાવાયુ નથી. સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાંથી મોટો ટ્રાફીક આ ગોંડલ રોડ પર થઇને રાજકોટમાં પ્રવેશે છે. ત્યારે કાંગશીયાળી પાસેથી બ્રીજ સત્વરે ચાલુ કરવામાં આવે તો ટ્રાફીક સમસ્યા હળવી બની જાય તેમ છે. આ રજુઆતમાં આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ શિવલાલ પટેલ, પૂર્વ પ્રમુખ કેશવજીભાઇ પરમાર, પૂર્વ મહામંત્રી વિપુલભાઇ તેરૈયા, રાકેશભાઇ સોરઠીયા વગેરે સાથે જોડાયા હતા.

(3:54 pm IST)