છોટુનગર ઝૂપડપટ્ટીમાં ખોડુ દેવીપૂજક પર મહેબૂબ અને અજાણ્યાનો હુમલો
વગર વાંકે ઝઘડો કરી ગાળો દઇ ધમાલ મચાવ્યાનો આરોપઃ વચ્ચે પડેલા માતા ધનીબેન અને પિતા ગોવિંદભાઇ વાજેલીયાને પણ મારકુટ
રાજકોટ તા. ૧૧: રૈયા રોડ હનુમાન મઢી પાછળ છોટુનગર શેરી નં. ૫ની સામે ઝૂપડપટ્ટીમાં રહેતાં શાકભાજીના ધંધાર્થી ખોડુ ગોવિંદભાઇ વાજેલીયા (ઉ.૧૮) પર મહેબૂબ વરજાંગભાઇ તથા ત્રણ અજાણ્યા શખ્સોએ મોડી રાતે હુમલો કરી ધમાલ મચાવતાં ફરિયાદ થઇ છે.
ખોડુની ફરિયાદ પરથી ગાંધીગ્રામના એએસઆઇ જે. એસ. હુંબલે મહેબૂબ સહિત ચાર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ખોડુએ પોલીસને જણાવ્યું હતું કે કોઇપણ જાતના કારણ વગર મહેબૂબ સહિતે મધરાતે ઘરે આવી ગાળો દઇ મને ઢીકાપાટુ માર્યા હતાં અને ધોકા-છરી બતાવી ધમકી આપી હતી.ત ેમજ મારા માતા ધનીબેન અને પિતા ગોવિંદભાઇ વચ્ચે પડતાં તેને પણ મુંઢ માર માર્યો હતો. મહેબૂબ અગાઉ પણ અલગ અલગ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યાનું જણાવાયું હતું. તેણે અને અજાણ્યાએ ઘરની દિવાલ અને વોશીંગ મશીનમાં તોડફોડ પણ કર્યાનો આક્ષેપ ખોડુએ કર્યો હતો.