નવી બની રહેલી ઝનાના હોસ્પિટલની સાઇટ પર પથ્થર માથે પડતાં ૧૫ વર્ષના અરવિંદનું મોત
રાજકોટ તા. ૧૧: મોચી બજાર કોર્ટ નજીક નવી બની રહેલી ઝનાના હોસ્પિટલની સાઇટ પર ઓરડીમાં રહી ત્યાં જ મજૂરી કરતાં પરપ્રાંતિય મજૂરનું માથે પથ્થર પડવાથી ઇજા થતાં મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ ઝનાના હોસ્પિટલનું નવું બિલ્ડીંગ બની રહ્યું હોઇ અહિ મજૂરી કામ કરતો અને ત્યાં જ બનાવાયેલી કાચી ઓરડીમાં રહેતો અજમેર ઉર્ફ અરવિંદ દિવાનભાઇ ડામોર (ઉ.૧૫) ગઇકાલે સાંજે ચારેક વાગ્યે સાઇટ પર કામ કરતો હતો ત્યારે ઉપરથી પથ્થર પડતાં માથા અને પીઠના ભાગે ઇજાઓ થતાં બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં એ-ડિવીઝનના એએસઆઇ આર. આર. સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારમુળ મધ્યપ્રદેશ જાંબુવાનો વતની હતો.